Sunday, September 8, 2024
HomeGujaratયંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તલાટી કમ મંત્રીના પરીક્ષાર્થીઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરાઈ...

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તલાટી કમ મંત્રીના પરીક્ષાર્થીઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરાઈ : રજીસ્ટ્રેશન કરાવવા અપીલ

મોરબી. : રાષ્ટ્રભાવનાને વરેલા મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા અન્ય જિલ્લામાંથી મોરબી ખાતે આગામી તા.૭/૦૫/૨૩(રવિવાર)ના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા આવનાર સર્વધર્મ અને સર્વ જ્ઞાતિના પરીક્ષાર્થીઓ અને પરીક્ષાર્થીનીઓ માટે રહેવા તથા જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. તો અન્ય જિલ્લામાંથી મોરબી આવનાર તમામ પરીક્ષાર્થીઓ અને પરીક્ષાર્થીનીઓને આ સેવા નો લાભ લેવાની અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબી ખાતે તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા આવનાર સ્પર્ધાર્થીઓ અને પરીક્ષાર્થીનીઓ માટે રહેવા તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે પરીક્ષાર્થીઓએ તારીખ ૦૬/૦૫/૨૩ (શનિવાર) રાત્રે ૦૮:૦૦ વાગ્યા સુધીમા પોતાનુ નામ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રિપોર્ટિંગ વખતે આધારકાર્ડ અને કોલ લેટરની ઝેરોક્ષ ફોન નંબર સાથે જમા કરવાની રહેશે. લેડીસ અને જેન્ટ્સની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવેલ છે.

રજીસ્ટ્રેશન તથા બીજી માહિતી માટે નીચેના નંબરનો કોન્ટેક્ટ કરવો.

જેન્ટ્સ માટે:

દિલીપ દલસાણીયા

મો. 80008 27577

સંજયભાઈ રબારી

મો. 96246 64464

 

લેડીસ માટે:

કાજલબેન ચંડિભમ્મર

મો. 98254 88733

ધરતીબેન બરાસરા

મો. 98259 41704

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!