Monday, October 21, 2024
HomeGujaratવાંકાનેરના જેતપરડા ગામ નજીક સીરામીક ફેક્ટરીમાં વીજ શોક લાગતા યુવકનું મોત નીપજ્યું

વાંકાનેરના જેતપરડા ગામ નજીક સીરામીક ફેક્ટરીમાં વીજ શોક લાગતા યુવકનું મોત નીપજ્યું

વાંકાનેર તાલુકાના જેતપરડા ગામ નજીક આવેલ મલ્ટીસ્ટોન સીરામીક ફેક્ટરીની લેબર કોલોનીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશ રાજ્યના વતની રાજેન્દ્રકુમાર હરીરામ યાદવ ઉવ.૩૭ ઉપરોક્ત ફેક્ટરીના પ્રેસ વિભાગમાં કામ કરતા હોય ત્યારે ગત તા.૨૮/૦૫ના રોજ રાત્રીના સમયે પ્રેસ વિભાગમાં આવેલ પ્લેટફોર્મ ઉપર લાગેલ ઇલેકટ્રીક મોટરમાંથી વીજશોક લાગ્યો હતો. જેથી રાજેન્દ્રકુમારને તુરંત વાંકાનેર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતા. ત્યારે હાઇકાલે ચાલુ સારવાર દરમિયાન રાજેન્દ્રકુમારનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે હાલ વાંકાનેર સીટી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ ટીમ હોસ્પિટલ ખાતે આવી ઇન્કવેસ્ટ પંચનામું કરી મૃતદેહને પીએમ સહિતની તબીબી કાર્યવાહી માટે સોંપી મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!