Thursday, September 19, 2024
HomeGujaratવાંકાનેરની ઢુવા ચોકડી પાસે નદીમાં ડૂબી જતા યુવકનું મોત:ભારે જહેમત બાદ મૃતદેહ...

વાંકાનેરની ઢુવા ચોકડી પાસે નદીમાં ડૂબી જતા યુવકનું મોત:ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો

વાંકાનેરની ઢુવા ચોકડી પાસે મહાનદીમાંથી મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના જવાનો અને ગામ લોકોની મદદથી એક યુવાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. આ યુવક નદીમાં નાહવા જતાં ડૂબી ગયો હતો. જેનો મૃતદેહ બે દિવસની ભારે જહેમત બાદ આજે બહાર કાઢવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગઈકાલે સાંજે 06:42 વાગ્યે મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવી હતી કે, ઢુવા ચોકડી આગળ મહાનદીમાં પુલ પાસે એક ભાઈ ડૂબી ગયો છે. ત્યારે આ માહિતી મળતા જ મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને સતત બીજા દિવસની ભારે મેહનત બાદ આજે અરવિંદ મનસુખ વનારિયા નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.ત્યારે યુવક ઢુવા ચોકડી પાસે મહાનદીમાં નાહવા જતાં ડૂબી ગયેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે હાલ યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે. અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને મૃતદેહ સોંપતા તેઓ દ્વારા એમ્બ્યુલન્સ મારફત મૃતદેહને પી.એમ. અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!