Saturday, April 20, 2024
HomeGujaratટંકારા તાલકુામાં ૧૧૦૮૦ બાળકોને પોલીયોની રસી પિવડાવવામાં આવશે

ટંકારા તાલકુામાં ૧૧૦૮૦ બાળકોને પોલીયોની રસી પિવડાવવામાં આવશે

ટંકારા તાલકુામાં ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ ૦ થી ૫ વર્ષના કુલ ૧૧૦૮૦ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાનું આયોજન થયેલ છે.આ માટે તાલકુામાં કુલ ૬૬ પોલીયો બુથોની રચના કરેલ છે. આ કામગીરીને પહોચી વળવા માટે ૨૬૪ કર્મચારીઓને પોલીયો બુથો ઉપર ફરજ સોપેલ છે તેમજ ૧૦ સપુરવાઈઝરોને મોનીટરીંગની કામગીરી સોપેલ છે.

- Advertisement -
- Advertisement -

આમ, તા. ૩૧ જાન્યુઆરી, ૨૦૨૧ ના રોજ પોલીયો બુથ ઉપર પોલીયોનું રસીકરણ કરવામાં આવશે અને બુથ ઉપર રસીકરણ કરવામાં બાકી રહી ગયેલ બાળકોને ત્યાર પછીના ૨ દિવસ દરમ્યાન આખા તાલુકા ૧૬૫૫૨ માં ઘર ઘર મુલાકાત કરી બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે. આ માટે મોરબી જિલ્લાના કુલ ૧૬૫૫૨ ઘરોની મુલાકાત માટે ૯૫ ટીમોની રચના કરવામાં આવેલ છે. તેમજ આ માટે ૧૦ સુપરવાઈઝરોને મોનીટરીંગની કામગીરી સોપેલ છે.

આ ઉપરાતં ખેતર, વાડી પવસ્તાર, કારખાના વિસ્તાર, ઈંટોના ભઠ્ઠા, રોડની આજુબાજુનો વિસ્તાર, અગર વિસ્તાર, બાધંકામ વિસ્તાર, ખાણના વિસ્તાર કે અન્ય વગેરે જેવી દુર્ગમ જગ્યાઓ ઉપર વસતા મજુર ના બાળકોના પોલીયો રસીકરણ માટે ૪૦ મોબાઈલ ટીમોની રચના કરેલ છે. તેમજ આ પોલીયો કાર્યક્રમ દરમ્યાન મુસાફરી કરતા લોકોના બાળકોને પોલીયોની રસી આપવા માટે ૨ ટ્રાન્ઝીસ્ટ ટીમોની રચના કરેલ છે. આ ટીમો મિતાણા ચોકડી તથા ટંકારા – લતીપર ચોકડી પર કામગીરી કરશે.

ટંકારા તાલકુાના ૦ થી ૫ વર્ષના તમામ બાળકો ૩૧ જાન્યઆુ રી ૨૦૨૧ ના રોજ પોલીયો બુથ ઉપર જઈ રસીકરણ કરાવે તેમજ આજુબાજુના વિસ્તારમાં વસતા મજુરોના બાળકોને પણ પોલીયોની રસી પિવડાવે અને પોલીયો સામે રક્ષણ મેળવે તે માટે સાથ સહકાર આપવા માટે ટંકારા તાલુકાના તાલુકા આરોગ્ય અધિકારી ડો.આશિષ સરસાવાડીયા તથા પ્રા.આ.કેન્દ્રો-લજાઈ,નેકનામ,સાવડી તથા નેસડા (ખા) નાં તબીબી અધીકારીઓ તથા તાલુકા હેલ્થ સુપરવાઈજર હિતેશ પટેલની ટંકારા તાલુકાનાં તમામ લોકોને નમ્ર અપીલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!