Wednesday, May 8, 2024
HomeGujaratમોરબી જલારામ પ્રાર્થના મંદિર તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આયોજીત નેત્રયજ્ઞ કેમ્પનો...

મોરબી જલારામ પ્રાર્થના મંદિર તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આયોજીત નેત્રયજ્ઞ કેમ્પનો 340 દર્દીઓએ લીધો લાભ

રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ૩૪૦ દર્દીઓએ લાભ લીધો હતો. આ તકે મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ, જીલ્લા કોંગ્રેસ અધ્યક્ષ જયંતિભાઈ જેરાજભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
- Advertisement -

ગુજરાતની નંબર એક આંખ ની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તા. શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત તા.૪-૧૨-૨૦૨૧ શનીવાર રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૩૪૦ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો તે ઉપરાંત ૧૯૭ લોકોને નેત્રમણી ઓપરેશનની જરૂર જણાતા આવતીકાલે અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ નેત્ર મણી સાથે વિનામુલ્યે ઓપરેશન ઓપરેશન કરવામા આવશે.

કેમ્પમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી. વધુમાં ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે.અત્યાર સુધીના ૪ કેમ્પમા કુલ ૧૩૦૫ લોકોએ લાભ લીધો છે.

કેમ્પને સફળ બનાવવા જલારામ સેવા મંડળ, જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી.વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮ નો સંપર્ક કરવા જલારામ સેવા મંડળના પ્રમુખ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મંત્રી નિર્મિતભાઈ કક્કડ દ્વારા અનુરોધ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!