Friday, September 20, 2024
HomeGujaratહળવદ પોલીસ મથકના હત્યાના ગુનામાં આજીવન કેદની સજા પામેલ એક માસથી ફરાર...

હળવદ પોલીસ મથકના હત્યાના ગુનામાં આજીવન કેદની સજા પામેલ એક માસથી ફરાર કેદી ઝડપાયો

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીએ પેરોલ ફર્લો, વચગાળા, પોલીસ જાપ્તા, જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા અંગે મોરબી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર કે.જે.ચૌહાણ ઇન્ચાર્જને સુચના આપતા આ અંગે કાર્યવાહી કરતા દરમિયાન રાજકોટ મધ્યસ્થ જેલમાં ખૂનના ગુન્હામાં આજીવન કેદની સજા પામેલ કેદી પેરોલ રજા પરથી છેલ્લા એક માસથી ફરાર થયેલ હોય જે આરોપીને મોરબી એલ.સી.બી.ની પેરોલ ફર્લો સ્કવોડે પકડી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી. પી.એસ.આઇ.એન.એચ.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લામાં પેરોલ ફર્લો, વચગાળા, પોલીસ જાપ્તા, જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના હેડ કોન્સ્ટેબલ જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇ વામજા તથા કોન્સ્ટેબલ બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે હકિકત મળેલ કે, પાકા કામનો આરોપી હળવદના સુસવાવમાં રહેતો જયંતીભાઇ નાનજીભાઇ રાઠોડ તા.૧૭/૧૦/૨૦૨૨ થી તા.૧૭/૧૧/૨૦૨૨ સુધી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતેથી પેરોલ રજા પર મુકત કરવામાં આવેલ હોય જે પાકા કામના આરોપીને તા.૧૭/૧૧/૨૦૨૨ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હોય પરંતુ આરોપી પેરોલ રજા પરથી પરત હાજર થયેલ ન હોય અને ફરાર થઇ ગયેલ હોય જે કેદીને હકીકત આધારે સુસવાવ ખાતેથી તા.૧૪/૧૨/૨૦૨૨ ના રોજ મળી આવતા હસ્તગત કરી કોવીડ-૧૯ મેડીકલ તપાસણી કરાવડાવી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!