Friday, September 20, 2024
HomeGujaratમોરબી અને વાંકાનેરમાં અપમૃત્યુના બે બનાવ નોંધાયા:પોલીસે બનાવોની નોંધ કરી કાર્યવાહી હાથ...

મોરબી અને વાંકાનેરમાં અપમૃત્યુના બે બનાવ નોંધાયા:પોલીસે બનાવોની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી

મોરબીમાં આપઘાત અને અકસ્માતનાં બનાવો વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લામાં બે લોકોનાં અકાળે મોત નિપજ્યા હોવાની પોલીસ ચોપડે નોંધ કરાવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, મોરબીમાં બાદનપર ગામની સીમ ધનજીભાઈ સવજીભાઈ કણઝરીની વાડીએ રહેતા દીપીકાબેન દિનેશભાઈ મીનામાનો ભાઈ રોહીત દીપીકાબેનને રાત્રી દરમ્યાન પોતાની વાડીથી ત્રણ ખેતર દુર વિપુલ નામના છોકરા સાથે અંધારામાં વાતો કરતા જોઈ જતા તેઓ બન્ને અલગ અલગ ખેતરમાં ભાગી જતા દીપીકાબેનને એમ લાગેલ કે, મારો ભાઈ મારા માતા-પીતાને આ બાબતે વાત કરશે તેવા આવેશમાં આવી મનમાં લાગી આવતા જી.ઇ.બી.ના સિમેન્ટના પોલ સાથે પોતાની જાતે ચુંદડી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મઘાત કરી લેતા મૃતકનાં પિતા દ્વારા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં, વાંકાનેરના વઘાસીયાખાતે રાગેટ જાનીબેન હકાભાઇ ડાભી ગત તા. ૩૦/૧૧/૨૦૨૩ ના રાત્રીના સમયે વઘાસીયા ગામે પોતાના રહેણાંક મકાને ચાલતા ચાલતા કોઇ કારણોસર પડી જતા તેઓને પ્રથમ સારવાર અર્થે પ્રકાશ ધરેજીયા વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરતા ચાલુ સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જેને લઇ ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!