Sunday, September 22, 2024
HomeGujaratહળવદમાં નમો નવમતદાતા સંમેલન યોજાયું :વડાપ્રધાનએ વર્ચ્યુઅલ માધ્યમથી યુવાનોને સંબોધન કર્યું

હળવદમાં નમો નવમતદાતા સંમેલન યોજાયું :વડાપ્રધાનએ વર્ચ્યુઅલ માધ્યમથી યુવાનોને સંબોધન કર્યું

હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે નમો નવમતદાતા સંમેલન યોજાયું હતું ભારત એ યુવા દેશ છે અને યુવાનો ભારત નું ભવિષ્ય છે ત્યારે રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિતે ગુરુવારે નમો નવમતદાતા સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં હળવદ તાલુકા ના નવા મતદાતા યુવાનો જોડાયા હતા ત્યારે આ કાર્યક્રમ માં દેશ ના લાખો યુવાનો આ વર્ચ્યુઅલ કાર્યક્રમ માં ઉત્સાહ પૂર્વક જોડાયા હતા આ કાર્યક્રમ માં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા , હળવદ નાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી , માર્કેટિંગ યાર્ડ પુવૅ ચેરમેન રણછોડભાઈ પટેલ, એપીએમસી ચેરમેન રજનીભાઈ સંઘાણી , હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ , તાલુકા પ્રમુખ મનસુખભાઇ પટેલ,દાદાભાઈ ડાંગર, અનિલભાઈ પટેલ , જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ રવિભાઈ પટેલ, સંદીપભાઇ પટેલ, હિતેશભાઈ લોરીયા, રમેશભાઈ ભગત, વલ્લભભાઈ પટેલ, રાજુભાઈ પટેલ,સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
- Advertisement -

 

આ કાર્યક્રમ ને સફળ બનાવવા હળવદ તાલુકા યુવા ભાજપ પ્રમુખ હિતેશભાઈ લોરિયા , શહેર યુવા ભાજપ પ્રમુખ જયદીપભાઇ રબારી સહિત યુવા ભાજપ ના કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!