Sunday, September 29, 2024
HomeGujaratમોરબીનાં ખારચિયા ગામ પાસે આવેલ કારખાનામાં ટાંકીની સફાઈ કરી રહેલ બે શ્રમિકોના...

મોરબીનાં ખારચિયા ગામ પાસે આવેલ કારખાનામાં ટાંકીની સફાઈ કરી રહેલ બે શ્રમિકોના ગૂંગળામણથી મોત:બે સારવારમાં

રાજ્યમાં વધુ એક સફાઇ કામદારનું ગુંગળામણથી મોત થયાનું સામે આવ્યું છે. જેમાં મોરબી તાલુકાના ખારચિયા ગામ પાસે આવેલ બાયઝોટીક લાઈફ સાયન્સ નામના કારખાનામાં ટાંકીની સફાઈ કરી રહેલ બે શ્રમિકોનાં ગૂંગળામણથી મોત થયા છે. જ્યારે બે ને સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના ખારચિયા ગામ પાસે આવેલ બાયઝોટીક લાઈફ સાયન્સ નામના કારખાનામાં ચાર શ્રમિકો ટાંકીની સફાઈ કરી રહ્યા હતા. ત્યારે તેમને અચાનક ગૂંગળામણ થવા પામી હતી.

જેને પગલે શ્રમિક યુવાન મંગલ સોર અને અનંત ઘોસાલ એમ બે શ્રમિકના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જયારે અન્ય બે શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!