Monday, September 30, 2024
HomeGujaratમોરબીના કુબેરનગરમાં રહેતા આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીના કુબેરનગરમાં રહેતા આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીના નવલખી રોડ સ્થિત કુબેરનગર-૧માં રહેતા આધેડ છેલ્લા ત્રણ વર્ષથી થયેલ અલગ અલગ બીમારીને કારણે કંટાળી જઈ ગળેફાસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબીના કુબેરનગર-૧માં રહેતા મનિષભાઇ ઉર્ફે સાગરભાઇ ઘનશ્યામભાઇ મહેતા ઉવ.૪૨ છેલ્લા ત્રણ વર્ષથી હરસ મસાની બીમારી, લીવરની બીમારી, પીતાશયની બીમારી તેમજ કીડનીમા પાણી ભરાવવાની બીમારીથી કંટાળી ગયેલ હોય જેથી ગઈકાલ તા.૨૧ મે ૨૦૨૪ ના રોજ પોતાના ઘરે પોતાની જાતે પંખામા દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુના બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!