Thursday, October 10, 2024
HomeGujaratમોત ની સવારી:સ્કૂલ વાહનોમાં ભૂલકાંઓના જીવ સાથે રોજ ની રમત ક્યારે અટકશે?કે...

મોત ની સવારી:સ્કૂલ વાહનોમાં ભૂલકાંઓના જીવ સાથે રોજ ની રમત ક્યારે અટકશે?કે પછી અક્સ્માતની રાહ જોવાશે?

રાજકોટમાં TRP મોલના ગેમ ઝોનમાં આગ લાગવાની એક ખૌફનાક ઘટના ઘટી છે. આ ઘટનામાં હાલના આંકડા પ્રમાણે અનેક બાળકો સહિત કુલ 28 લોકોના મૃત્યુ થયા છે અને બીજા અનેક લોકો ઘાયલ થયા છે. હજુ આ આંકડો પણ વધી શકે તેમ છે. આ દુઃખદ અને ગંભીર ઘટના પર અનેક લોકોની પ્રતિક્રિયા સામે આવી છે. ત્યારે મોરબીમાં ખુલ્લેઆમ બાળકોને ઘેટાં બકરાંની જેમ ભરીને જતી રીક્ષાઓ પણ ગેમઝોન જેવુ જ યંત્ર છે, જો આવી રીક્ષાઓનો અકસ્માત સર્જાયો તો નિર્દોષ બાળકોના જીવ ફરી જોખમમાં મુકાય શકે છે. ત્યારે તંત્ર માત્ર ગેમ ઝોનમાં જઈ એનઓસી ઉઘરાવી સંતોષ ન માની આવા રિક્ષા ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરે તે પણ જરૂરી છે.

- Advertisement -
- Advertisement -

આમ તો દરેક લોકો પોતાના બાળકોને રીક્ષા અથવા વાનમાં સ્કૂલે મોકલતા હોય છે, પરંતુ તમારું બાળક કેટલું સલામત હોય છે તે કદી નથી વિચારતા, ત્યારે સ્કૂલ વાન ચાલકો નિયમોની એસી-તેસી કરી બાળકોને ઘેટા બકરાની જેમ વાનમાં ભરે છે, અને બાળકોના જીવ જોખમમાં મુકી દે છે. જે પણ એક ગેમઝોન જેવુ જ યંત્ર કહી શકાય. ત્યારે લોકો પણ કહી રહ્યા છે કે, તંત્ર માત્ર મોટા માથાઓને ત્યાં દરોડા પડી સંતોષ ન માની લ્યે પરંતુ આવા રિક્ષા ચાલકો વિરૂદ્ધ પણ કાર્યવાહી કરે તે જરૂરી છે. જો આવી રીક્ષાઓને રોકવામાં નહીં આવે તો આગામી સમસ્યામાં વધુ બાળકોના જીવ જોખમમાં મૂકાય શકે છે. ત્યારે ન માત્ર તંત્ર પરંતુ વાલીઓએ પણ પોતાનું બાળક કેવી રીતે શાળાએ જાય છે અને જે વાહનમાં જાય છે. તે તપાસવું પણ જરૂરી છે. જેથી આગામી સમયમાં કોઈ પણ મોટી દુર્ઘટના ન સર્જાય.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!