Wednesday, September 25, 2024
HomeGujaratમોરબીમાં આવતીકાલે કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડાનો અભિવાદન સમારોહ યોજાશે

મોરબીમાં આવતીકાલે કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડાનો અભિવાદન સમારોહ યોજાશે

મોરબી કચ્છ ના સાંસદ વિનોદભાઈ ચાવડા ત્રીજી વખત લોકસભા બેઠક ઉપરથી જીતની હેટ્રીક મેળવતા મોરબી ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડાનો ગુરૂવારના રોજ અભિવાદન સમારોહ યોજવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે ત્યારે મોરબી કચ્છની લોકસભા બેઠક પર વિનોદ ચાવડાએ સતત ત્રીજી વખત જીતની હેટ્રિક મેળવી છે. વિનોદ ચાવડાની જીતમાં મોરબી માળિયા વિધાનસભા મત વિસ્તારમાંથી સૌથી વધુ 66,000 થી વધુ લીડ મળી છે.જે ખુશીને લઈને મોરબી શહેર તાલુકા અને માળિયા શહેર તાલુકા ભાજપ દ્વારા તારીખ 13 ને ગુરુવારના રોજ સવારે 9:30 કલાકે સ્કાયમોલ શનાળા રોડ ખાતે સાંસદ વિનોદ ચાવડાનો અભિવાદન સમારોહ યોજવામાં આવશે. જે કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારિયા, મહામંત્રી કૈલા, ભાવેશ ભાઈ કંજારિયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદળિયા અને માળીયા શહેર તાલુકા હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!