Wednesday, September 25, 2024
HomeGujaratમોરબીમાં લીલાપર રોડ કેનાલમાંથી મળેલ અજાણી મહિલાના મૃતદેહ મામલે ખુલાસો:ગળુ દબાવાથી મોત...

મોરબીમાં લીલાપર રોડ કેનાલમાંથી મળેલ અજાણી મહિલાના મૃતદેહ મામલે ખુલાસો:ગળુ દબાવાથી મોત થયાનું ફલીત થતા હત્યાનો ગુનો નોંધાયો

પોલીસે ખુદ ફરિયાદી બની અજાણ્યા વ્યક્તિ સામે હત્યાનો ગુનો નોંધ્યો

- Advertisement -
- Advertisement -

મોરબીમાં બ દિવસ પૂર્વે લીલાપર કેનાલ રોડ ઉપર ક્લાસિક પાર્ટી પ્લોટની બાજુમાં કેનાલના નાલા નીચેથી અજાણી ૨૫ થી ૪૦ વર્ષની ઉંમરની અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યાનો બનાવ સામે આવ્યો હતો..જે મહિલાના મૃતદેહને ફોરેન્સીક પીએમમાં મહિલાનું ગળુ દબાવી મોત નિપજવ્યાંનું સામે આવતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ દ્વારા ફરિયાદી બની અજાણ્યા વ્યક્તિ સામે આઇપીસી ૩૦૨ કલમ હેઠળ ગુનો દાખલ કરી અજાણી મહિલાની અને તેનું મોત નિપજાવનારની ઓળખ મેળવવા અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી અનુસાર ગત તા.૧૦/૦૬ના રોજ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ ક્લાસિક પાર્ટી પ્લોટની બાજુમાં કેનાલના નાલા નીચેથી આશરે ૨૫ થી ૪૦ વર્ષની વય ધરાવતી અજાણી મહિલાનો મૃતદેહ હોવાની જાણ પોલીસ મથકમાં થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને અજાણી યુવતીના મૃતદેહનું પ્રાથમિક પંચનામું કરી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખાતે મોકલવામાં આવ્યો હોય, જ્યાંથી ફોરેન્સિક પીએમમાં મહિલાનું ગળુ દાબવાથી મોત થયાનું સામે આવ્યું હતું. હાલ અજાણી મૃતક મહિલાની હજુ ઓળખ થઇ નથી ત્યારે પોલીસે બનાવ અંગે અજાણ્યા આરોપી સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!