Tuesday, April 30, 2024
HomeGujaratહળવદમા અન્ન સુરક્ષા અભિવાદન કાર્યક્રમ યોજાયો

હળવદમા અન્ન સુરક્ષા અભિવાદન કાર્યક્રમ યોજાયો

ગુજરાત રાજ્યમાં વિવિધ પાત્રતા ધરાવતા રેશનકાર્ડ ધારકોને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવેશ કરીને અભિવાદન કાર્યક્રમ યોજાયો હોય જે અંતર્ગત આજે હળવદ એપીએમસી ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં લાભાર્થીઓને લાભ મળ્યો હતો.

- Advertisement -
- Advertisement -

રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ મોરબી જિલ્લામાં ૪૦૦૦ થી વધુ લાભાર્થીઓને એન.એફ.એસ.એ રેશનકાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા જે અંગે મોરબીના ટાઉન હોલ તેમજ હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું . હળવદ એપીએમસી ખાતે સમારોહમાં ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઇ કવાડીયા.ડે.કલેકટર ગંગા સિંઘ, હળવદ મામલતદાર હર્ષિત આચાર્ય, હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, હળવદ તાલુકા ગ્રામ્ય ભાજપ પ્રમુખ રજનીભાઈ સંધાણી,બિપીનભાઈ દવે પુરવઠા અધિકારી, વલ્લભભાઈ પટેલ, પાલિકા પ્રમુખ રમેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર રાજ્યમાં ૫૦ લાખ લાભાર્થીઓને યોજના હેઠળ લાભ આપવામાં આવ્યો છે જેના લાઈવ પ્રસારણ મારફત મોરબી જીલ્લાના લાભાર્થીઓને પણ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!