Friday, September 20, 2024
HomeGujaratમોરબી:પ્રોહીબીશનના ગુનામાં ચાર માસથી ફરાર આરોપીને ત્રાજપર ચોકડી પાસેથી ઝડપી લેવાયો

મોરબી:પ્રોહીબીશનના ગુનામાં ચાર માસથી ફરાર આરોપીને ત્રાજપર ચોકડી પાસેથી ઝડપી લેવાયો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે પ્રોહીબીશનના ગુનામાં ચાર માસથી વોન્ટેડ વીંછીયા તાલુકાના મોટામાત્રા ગામના વતની આરોપીને મોરબી ત્રાજપર ચોકડી ખાતેથી દબોચી લઈ આગળની ધીરણસર કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના અ.હેડ કોન્સે. ભગવાનજીભાઈ, વિજયભાઈ તથા પ્રદીપસિંહને બાતમી મળેલ કે બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહીબીશન કેસમાં છેલ્લા ચાર માસથી ફરાર આરોપી પ્રભાતભાઈ ત્રાજપર ચોકડી પાસે છે, જેથી મળેલ ચોક્કસ બાતમી મુજબની જગ્યાએ તપાસ કરતા આરોપી પ્રભાતભાઈ ઉર્ફે પરબતભાઇ મથુરભાઈ વાટુકીયા ઉવ.૩૧ રહે.મોટામાત્રા તા. વીંછીયા જી.રાજકોટ વાળાને ઝડપી લઈ તેને હસ્તગત કરી સીટી બી ડિવિઝન પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. હાલ પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!