Friday, September 20, 2024
HomeGujaratમોરબીની માણેક સોસાયટીમાં વેપારીના ઘરના તાળા તૂટ્યા, રોકડા ૭૦ હજારની ચોરી

મોરબીની માણેક સોસાયટીમાં વેપારીના ઘરના તાળા તૂટ્યા, રોકડા ૭૦ હજારની ચોરી

મોરબીના રવાપર રોડ સ્થિત માણેક સોસાયટીમાં રહેણાંક મકાનના તાળા તોડી અજાણ્યા બે ચોર ઈસમો રોકડા ૭૦ હજાર રૂપિયા ચોરી કરી લઈ ગયા અંગે અત્રેના એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ માણેક સોસાયટીમાં રહેતા વેપારી હિતેનભાઈ અરવિંદભાઈ પલાણ ઉવ.૪૫ વાળાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા બે ચોર આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી કે ગઈ તા. ૦૧/૦૯ના રોજ રાત્રીના ૧ વાગ્યાથી ૩ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન અજાણ્યા બે ચોર ઈસમોએ હિતેનભાઈના ઘરના તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી રૂમમાં રાખેલ કબાટમાંથી રૂપિયા ૭૦ હજારની ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે આ ઘરફોડ ચોરીની સમગ્ર ઘટના બાબતે આરોપી અજાણ્યા બંને ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!