Friday, September 20, 2024
HomeGujaratવાંકાનેરના ગ્રામ્ય પંથકની સગીરાને લગ્નની લાલચે ભગાડી જનાર આરોપી સામે ફરિયાદ નોંધાઈ

વાંકાનેરના ગ્રામ્ય પંથકની સગીરાને લગ્નની લાલચે ભગાડી જનાર આરોપી સામે ફરિયાદ નોંધાઈ

વાંકાનેર તાલુકા પંથકમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે ભગાડી જનાર આરોપી ઈસમ સામે સગીરાના પિતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા વાંકાનેર તાલુકા પોલીસે આરોપી સામે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

જાણવા મળતી વિગત અનુસાર, વાંકાનેર તાલુકાના એક ગામમાં ૧૭ વર્ષ અને ૧૦ માસ ઉમર ધરાવતી સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે આરોપી દિપક મનુભાઈ રહે.ભલગામ તા.વાંકાનેરવાળો ભગાડી લઈ ગયો હોય જેથી ભોગ બનનાર સગીરાના પિતા દ્વારા સમગ્ર બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આરોપી સામે કડક કાર્યવાહી કરવા પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને પકડી પાડવા અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!