Friday, October 18, 2024
HomeGujaratશ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા શરદ પૂનમ રાસ ગરબા મહોત્સવનું કરાયું...

શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા શરદ પૂનમ રાસ ગરબા મહોત્સવનું કરાયું આયોજન

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા શરદપુનમ રાસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ રાસ ગરબા કાર્યક્રમમાં ગોસ્વામી સમાજનું ગૌરવ રીટા ગોસ્વામી ગ્રુપ રાસ ગરબા ની રમઝટ બોલાવશે જેમાં મોરબી સિટી અને તાલુકાના ગામડાઓના વિસ્તારમાં રહેતા દશનામ ગોસ્વામી સમાજના પરિવારને કાર્યક્રમમાં પધારવા શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા શરદપુનમ રાસ ગરબા મહોત્સવ ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૯/ ૧૦/૨૦૨૪ ને શનિવારની રાત્રે ૮ થી ૧૨ વાગ્યા સુધી સાઈબાગ ગ્રાઉન્ડ ઉમા ટાઉનશીપ મેઈન ગેટ સામે મોરબી-૨ ખાતે રાખવામાં આવ્યું છે. આ રાસ ગરબા મહોત્સવમાં મોરબી ગોસ્વામી સમાજનું ગૌરવ એવા જાણીતા ભજનિક કલાકાર રીટા ગોસ્વામી ગ્રુપ ઓર્કેસ્ટ્રા ટિમ રાસ ગરબાની રમઝટ બોલાવશે. આ રાસ ગરબા મહોત્સવમાં મોરબી સીટી અને તાલુકાના ગામડાઓમાં રહેતા તમામ ગોસ્વામી સમાજ પરિવારોને પધારવા આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. વધુ માં આ કાર્યક્રમમાં ટ્રેડીશનલ ડ્રેસમાં જે આવશે તેને ઇનામ આપવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા યુવક મંડળના પ્રમુખ તેજશગીરી, બળદેવગીરી, અમિતગીરી, નિતેષગીરી, હાર્દિકગીરી, દેવેન્દ્રગીરી અને પ્રકાશગીરી સહિત સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે….

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!