Friday, October 18, 2024
HomeGujaratમોરબીના રફાળેશ્વર ગામ નજીક ટ્રેન હેઠળ પડતું મૂકી વેપારી આધેડે કર્યો આપઘાત

મોરબીના રફાળેશ્વર ગામ નજીક ટ્રેન હેઠળ પડતું મૂકી વેપારી આધેડે કર્યો આપઘાત

મોરબીના રવાપર-ઘુનડા રોડ ઉપર રહેતા મૂળ ગાળા ગામના રહેવાસી એવા આધેડ વેપારીએ કોઈ અગમ્ય કારણોસર રફાળેશ્વર ગામ નજીક રેલ્વે ટ્રેક ઉપર પસાર થઈ રહેલ ટ્રેન હેઠળ પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબીના રવાપર-ઘુનડા રોડ ઉપર આવેલ ઉમિયા સોસાયટી-૧ માં રહેતા મૂળ ગાળા ગામના વતની વિપુલભાઇ મગનભાઇ કાચરોલા ઉવ.૪૭ નામના વેપારી આધેડે કોઈ કારણોસર રફાળેશ્વર ગામ નજીક ઇલેક્ટ્રીક થાંભલા નં.૧૮/૧૪ તથા ૧૮/૧૫ ની વચ્ચેના ભાગે રેલ્વે-ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કર્યો હતો, જેમાં વેપારીના શરીર ઉપરથી ટ્રેન ફરી વળતા કમરના નીચેનો ભાગ કપાઈ જવાની ગંભીર ઇજાથી તેમનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ તાલુકા પોલીસે મકનસર રેલ્વે સ્ટેશન માસ્ટર દ્વારા આપેલ વિગતો આધારે અ.મોતની નોંધ કરી વેપારી આધેડ દ્વારા કરવામાં આવેલ આપઘાત પાછળના કારણો શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!