Friday, October 18, 2024
HomeGujaratવાંકાનેરના આણંદપર ગામે પથ્થરની ખાણમાં શ્રમિક ઉપર પથ્થર પડતા મોત નીપજ્યું 

વાંકાનેરના આણંદપર ગામે પથ્થરની ખાણમાં શ્રમિક ઉપર પથ્થર પડતા મોત નીપજ્યું 

વાંકાનેર તાલુકાના આણંદપર ગામની સીમમાં આવેલ પથ્થરની ખાણમાં શિવશક્તિ સ્ટોનમાં ૧૮ વર્ષીય શ્રમિક ઉપર પથ્થર પડતા શરીરે અને પગ ઉપર થયેલ ગંભીર ઇજાને કારણે યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

અપમૃત્યુના બનાવની પ્રાપ્ત માહિતી મુજબ દિલીપભાઇ જોગીભાઇ શીંગાડીયા ઉવ.૧૮ રહે.આણંદપર તા.વાંકાનેર વાળા ગત તા. ૧૫ ઓક્ટો.૨૦૨૪ ના રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામાં આણંદપર ગામે આવેલ ખાણમાં શીવશકતી સ્ટોનમાં શરીર ઉપરથી પથ્થર પગ ઉપર પડતા દિલીપભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સ્તગલ ઉપર મૃત્યુ નીપજ્યું હતું. જેથી દિલીપભાઈને મરણ ગયેલ હાલતમાં વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી દિલીલભાઈને મૃત જાહેર કર્યા હતા, સમગ્ર બનાવની પોલીસને જાણ કરતા પોલીસે અ. મોતની નોંધ કરી પીએમ સહિતની તબીબી કામગીરી કરવા લાશને સોંપી આપેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!