Friday, October 25, 2024
HomeGujaratમોરબી જીલ્લાના UPSC ની તૈયારી માટે તેજસ્વી વિદ્યાર્થીઓને જીલ્લા પંચાયત દ્વારા શિષ્યવૃતિ...

મોરબી જીલ્લાના UPSC ની તૈયારી માટે તેજસ્વી વિદ્યાર્થીઓને જીલ્લા પંચાયત દ્વારા શિષ્યવૃતિ અપાશે

મોરબી જીલ્લા પંચાયતની પ્રેસ-યાદી મુજબ મોરબી જીલ્લાના વતની હોય અને ધોરણ-૧૨ માં ૭૦ % થી વધુ માર્ક્સ મેળવેલ હોય અને હાલ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હોય તેવા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે UPSC ની તૈયારી માટે મોરબી જીલ્લા પંચાયત દ્વારા શિષ્યવૃતિ આપવાનું નક્કી કરવામાં આવેલ છે તેથી ઉપર મુજબની શરતો સંતોષતા હોય અને UPSC ની પરીક્ષા આપવા ઇચ્છુક હોય તેવા વિદ્યાર્થીઓ પાસેથી અરજી મંગાવવામાં આવે છે.

- Advertisement -
- Advertisement -

પસંદ થયેલ વિદ્યાર્થીને પ્રથમ વર્ષ માટે રૂ.૧૫૦૦૦/- અને ત્યારબાદ જરૂરી લાયકાતના ધોરણો મેળવ્યા બાદ બીજા અને ત્રીજા વર્ષ માટે પણ શિષ્યવૃતિ આપવાનું વિચારણા હેઠળ છે.

આ માટે ઈચ્છુક વિદ્યાર્થીઓએ દિન-૧૫ માં રૂમ નં.૧૪૬,શિક્ષણ શાખા જીલ્લા પંચાયત કચેરી શોભેશ્વર રોડ મોરબીમાં પોતાની અરજી જમા કરાવવાની રહેશે.અરજીનો નમુનો મોરબી જીલ્લા પંચાયત કચેરીની વેબસાઈટ (www.morbidp.gujarat.gov.in) ઉપર મુકવામાં આવેલ છે, તેમ મોરબી જીલ્લા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!