Friday, October 25, 2024
HomeGujaratમોરબી શહેરના રોડ રસ્તા રિપેર કરવા મોરબી શહેર કોંગ્રેસ સંગઠન મંત્રીએ ચીફ...

મોરબી શહેરના રોડ રસ્તા રિપેર કરવા મોરબી શહેર કોંગ્રેસ સંગઠન મંત્રીએ ચીફ ઓફિસર ને કરી રજૂઆત

મોરબી શહેર કોંગ્રેસ સમિતિના સંગઠન મંત્રી સુરપાલસિંહ જાડેજા દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખી મોરબી શહેરના શનાળા રોડ હાઉસિંગ બોર્ડમાં રોડ રસ્તા રીપેરીંગ કરી ખુલ્લી ગટરના ઢાંકણા નાખી આપવા બાબતે રજૂઆત કરવામાં આવી છે…..

- Advertisement -
- Advertisement -

મળતી માહીતી અનુસાર, મોરબી શહેરમાં વોર્ડ નંબર 9ના શનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં કન્યા છાત્રાલ રોડ તથા ચિત્રકૂટથી સરદાર રોડ સુધીના રોડ રસ્તા ખૂબ જ બિસ્માર હાલતમાં છે. જે રસ્તાઓમાં વરસાદી અને ગટરના પાણી ભરાવવાના કારણે અકસ્માત થવાનો ભય રહેલો છે. તેમજ ગટરના ઢાંકણા તૂટી જવાને કારણે ખુલ્લી ગટરોમાં લોકો તેમના વાહનો સાથે નીકળતા હોય ત્યારે ગંભીર અકસ્માત થવાની સંભાવના છે જેથી તાત્કાલિક ધોરણે રોડ રસ્તાઓ રીપેરીંગ કરી ગટરના ઢાંકણા નાખી આપવા માટેની રજૂઆત મોરબી શહેર કોંગ્રેસ સમિતિ સંગઠન મંત્રી સુરપાલસિંહ જાડેજા દ્વારા મોરબી ચીફ ઓફિસરને કરવામાં આવી છે…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!