Friday, February 7, 2025
HomeGujaratમોરબી મેડિકલ કોલેજ ખાતે હળવદ તાલુકા નું પ્રથમ દેહદાન : જયાબેન ઠાકરશીભાઈ...

મોરબી મેડિકલ કોલેજ ખાતે હળવદ તાલુકા નું પ્રથમ દેહદાન : જયાબેન ઠાકરશીભાઈ દેત્રોજા નું અવસાન થતાં દેહદાન કર્યું

હળવદ ના સામાજિક કાર્યકર નયનભાઈ દેત્રોજા ના પૂજ્ય માતુશ્રી જયાબેન નું અવસાન થતાં દેહદાન થકી અન્યોને પ્રેરણા પૂરી પાડી છે

- Advertisement -
- Advertisement -

હળવદ શહેર માં આવેલ ક્રિષ્ના પાર્ક માં રહેતા અને મૂળ સૂરવદર ગામ ના રહેવાસી શ્રી જયાબેન ઠાકરશીભાઈ દેત્રોજા નું તારીખ :- ૬-૨-૨૦૨૫ ને ગુરુવાર ના રોજ દુઃખદ અવસાન થતાં મોરબી મેડિકલ કોલેજ માં દેહદાન કરવામાં આવ્યું હતું જયાબેન જીવિત હતા ત્યારે તેઓ એ શુભ સંકલ્પ કર્યો હતો અને પરિવાર જનો ને કહ્યું હતું મારા મૃત્યુ પછી મારા પાર્થિવ દેહ ને મેડિકલ કોલેજ માં દેહદાન કરશો તેથી તેમના પરિવાર જનો એ તેઓ જીવિત હતા ત્યારે જ દેહદાન નો સંકલ્પ કરી દેહદાન માટે સંકલ્પ પત્ર ભરી મેડિકલ કોલેજ માં સુપ્રત કર્યું હતું ત્યારે ગતરોજ તેઓનું નિધન થતાં પરિવાર ના મોભી ઠાકરશીભાઈ અને સુપુત્ર નયનભાઈ દેત્રોજા (પ્રદેશ યુવા ભાજપ કારોબારી સભ્ય) એ મોરબી મેડિકલ કોલેજ નો સંપર્ક કરી અને દેહદાન કર્યું હતું ત્યારે હળવદ વિસ્તાર માં દેહદાન ની આ સેવા થકી અનેક લોકો ને પ્રેરણા મળસે અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી મેડિકલ કોલેજ બન્યા પછી હળવદ તાલુકા નું આ પ્રથમ દેહદાન મેડિકલ કોલેજ માં થયેલ છે પાર્થિવ દેહ મેડિકલ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ ના અભ્યાસ સાથે ઉપયોગ માં લેવામાં આવશે ત્યારે દેત્રોજા પરિવારે આ ઉમદા કાર્ય કર્યું જેનાથી અન્યો પ્રેરાસે અને હળવદ વાસીઓ પણ આ ઉમદા કાર્ય ની સરાહના કરી રહ્યા છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!