સફાઈ અભિયાનમાં મોરબી શહેરના નાગરિકોને ભાગ લેવા અનુરોધ કરાયો.
મોરબી મહાનગરપાલિકા દ્વારા તારીખ ૧૩ ફેબ્રુઆરીના રોજ સવારે ૦૯:૩૦ કલાકે નગર દરવાજાથી જુના બસ સ્ટેન્ડ સુધી શ્રમદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે
મોરબી મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશ્નર(પ્રોજેકટ)ની યાદીમાં જણાવ્યા અનુસાર આ સફાઈ ઝુંબેશ અભિયાનમાં મોરબી શહેરના લોકોનો સહકાર પણ જરૂરી છે. મોરબી શહેરની સામાજિક, ધાર્મિક, બિન સહકારી સંસ્થાઓ તેમજ તમામ નગરજનોને આ અભિયાનમાં જોડાવવા માટે મોરબી મહાનગરપાલિકા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.