માળીયા (મીં) તાલુકાના દહીસરા ગામે થયેલ હત્યાના ગુન્હામાં કોર્ટે આરોપીઓના જામીન મંજુર કાર્ય છે. મુખ્ય બંને આરોપી અરૂણભાઈ અવચરભાઈ ઈન્દરીયા અને અશોકભાઈ અવચરભાઈ ઈન્દરીયાનાનો શરતી જામીન પર છુટકારો થયો છે.
માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ફરિયાદ અનુસાર, ફરીયાદીના ધરમાંથી શેરીમાં પાણી નીકળતુ હોય જેનુ મનદુખ રાખી સુરેશભાઈનાએ ફરીયાદીના પતીને લોખંડના પાઈપ વતી માથાના ભાગે ઈજા કરી તેમજ અરૂણભાઈએ તેના હાથમાં રહેલ લાકડાના ધોકાથી ફરીયાદીના પતીના વાસાના ભાગે મારી ઈજા કરી તેમજ અશોકભાઈએ લાકડીથી ફરીયાદીના પતીને શરીરના ભાગે ધા મારી ઈજાઓ કરી તેમજ ફરીયાદીના પીતા ત્યાં આવી જતાં ફરીયાદીના પતીને માર મારવાથી બચાવવા જતાં વિજયભાઈએ તેના હાથમાં રહેલ લાકડીથી ફરીયાદીના પીતાને કપાળના ભાગે મારી ઈજાઓ કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે આ બનાવમાં ફરીયાદીના પતીના લાકડી તથા લોખંડના પાઈપ વતી જીવલેણ ઘા કરતા તેમનું મોત નીપજ્યું હતું. જેથી સમગ્ર મામલે માળીયા(મી) પોલીસે આરોપીઓ વિરુધ્ધ બી.એન.એસની કલમ ૧૦૩(૧), ૧૧૫(૧), ૧૧૮(૧),૩૫૨,૩૫૧(૩), ૫૪ તથા જી.પી એકટની કલમ ૧૩૫ અન્વયે ગુનો નોંધી ધરપકડ કરી હતી. ત્યારે બનાવમાં આરોપીઓ અરૂણભાઈ અવચરભાઈ ઈન્દરીયા અને અશોકભાઈ અવચરભાઈ ઈન્દરીયાએ મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી. અને એડવોકેટ મારફત દલીલ કરવામાં આવેલ કે મરણજનારને આરોયીઓએ કોઈ માર મારેલ હોય તેમ નથી અને આરોપીનો કોઈ ગુનાહિત ઈતીહાસ નથી કે ગુન્હો કરવા ટેવાયેલ નથી અને ધારદાર કાયદાકીય દલીલ અને નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ રજુ કરતા બન્ને પક્ષકારોની દલીલના અંતે નામ. કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી અને નામદાર સુપ્રીમ કોર્ટનું સંજયચાંદ્રા વી. સી.બી.આઈ નુ જજમેન્ટ ધ્યાને લઈ આરોપીને શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો છે. આ કામમાં આરોપીઓ તરફે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ સાવન ડી. મોઘરીયા, મોરબી જીલ્લાના પ્રખ્યાત સીનીયર ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા, ક્રિષ્ના જારીયા, આરતી પંચાસરા, મહેશ્વરી મકવાણા રોકાયેલ હતા.