સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન દ્વારા વીર મહાપુરુષ રાણા સાંગા વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. જેને લઇને મોરબી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને શ્રી રાજપૂત કરણી સેના દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવીને સાંસદનો વિરોધ નોંધાવી જાહેરમાં માફી માંગે તેવી માંગ કરાઇ છે….
મોરબી જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદની યુવા પાંખ બજરંગદળ તેમજ શ્રી રાજપૂત કરણી સેના દ્વારા સંસદ ભવનની અંદર સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન દ્વારા વીર મહાપુરુષ રાણા સાંગા વિશે અભદ્ર ટિપ્પણી કરીને વિવાદિત બયાન આપવામાં આવ્યું હતું. તેના વિરોધમાં બજરંગ દળ અને કરણી સેના દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપવામાં આવ્યું છે. બજરંગદળ અને કરણી સેના દ્વારા માંગણી કરવામાં આવી કે સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન તેના શબ્દ પાછા લે તેમજ જાહેરમાં માફી માંગે અને કેન્દ્ર સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી તેમને સાંસદ પદ ઉપરથી નિલંબીત કરવામાં આવે તેવી માંગ કરાઇ છે. જેમા મોરબી જિલ્લાના તમામ જવાબદાર પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.