મોરબી અને વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા એમ બે સ્પા પાર્લરમાં એએસઓજી પોલીસ ટીમ દ્વારા ચેકીંગ હાથ ધર્યું હતું, જેમાં સ્પામાં કામ કરતી વર્કરોના આઇડી પ્રુફ સહિતની વિગતોના ફોર્મ ભરી સંબંધિત પોલીસ મથકે જમા નહિ કરાવનાર બંને સ્પા-માલીક સામે મોરબી એસઓજી ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એસઓજી પોલીસ ટીમ જીલ્લા કલેકટરના જાહેરનામા અનુસંધાને વિવિધ સ્પા પાર્લરોમાં ચેકીંગની કામગીરીમાં હોય તે દરમિયાન મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ઓનેસ્ટ હોટલની બાજુમાં આદ્યશક્તિ ચેમ્બર-૨ ના ત્રીજા માળે આવેલ સિગ્નેશર વેલનેશ સ્પા પાર્લરના માલીક પરિમલભાઈ ગોપાલભાઈ વાઘેલા ઉવ.૨૮ રહે.મોરબી ઓમકાર રેસિડેન્સી લીલાપર રોડ વાળાએ અને વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા નજીક હાઇવે રોડ ઉપર હિમાલ્યા પ્લાઝાના બીજા માળે આવેલ ઓમ સાઈ સ્પા મસાજ પાર્લરના માલીક હેમુભાઇ રણછોડભાઇ મીઠાપરા ઉવ.૩૨ હાલરહે મકનસર, તુલસી રેસીડન્સી-૨ તા.મોરબી મુળરહે. નડાળા તા.સાયલા જી.સુરેન્દ્રનગર વાળાએ પોતાના કબજા ભોગવટા વાળા સ્પામાં કામ કરતી સ્પા વર્કરના બાયોડેટાના ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધ નહી કરાવી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના જાહેરનામાનો ભંગ કર્યો હોય, ત્યારે હાલ મોરબી એસઓજી ટીમ દ્વારા બન્ને આરોપીઓની અટક ન કરી, માત્ર નોટિસ આપી, કલમ ૨૨૩ મુજબ ગુનો નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.