ટંકારા, હળવદ, વાંકાનેર સહિતની શાળાઓમાં સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સમર યોગ કેમ્પ સંસ્કૃતિ ધામનું કેન્દ્ર બન્યું છે. મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આયોજિત સમર યોગ કેમ્પમાં વિધાર્થીઓનાં જન્મ દિવસ નિમિતે યજ્ઞ કરીને ઉજવણી કરવામાં આવે છે અને બાળકોને ગીતાના શ્લોક પણ કંઠસ્થ કરવામાં આવે છે..
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગાયત્રીનગર પ્રાથમિક શાળામાં છેલ્લા ત્રણ વર્ષથી સત્તત સમર યોગ કેમ્પ યોજાય થયો છે. જેમાં વેકેશનના દિવસોમાં 170 જેટલી બહોળી સંખ્યામાં બાળયોગીઓ આજુ બાજુના ગામડાઓથી તેમજ મોરબી જિલ્લામાંથી પણ આ યોગ કેમ્પમાં જોડાયા છે. યોગ કેમ્પમાં શૈક્ષણિક, સામાજિક, રાજકીય અને આધ્યાત્મિક ક્ષેત્રોમાંથી મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી છે. બાળકોને પ્રેરણા, પ્રોત્સાહન અને પ્રમાણિકતાના ગુણોને જીવન ઘડતરના પ્રાથમિક તબ્બકામાં મળતા બાળકોના સર્વાંગીણ વિકાસ માટે મદદરૂપ બનશે. બાળકોને યોગ, આસન, પ્રાણાયામ, ધ્યાન અને એડવાન્સ યોગ સાથે જુદી જુદી બ્રેઇનએક્ટિવેશન ગેમ્સ તેમજ આપણી વિસરાઈ જતી શેરી રમતો અને સાથે મોબાઇલના વધતા જતા એડિક્ટેશને કારણે અને તેના નુકશાન તેમજ તેના નિવારણ હેતુ, વાંચન અને સ્વાસ્થ્યવર્ધક માહિતી ટ્રેનિંગના માધ્યમથી બાળકોને યોગ કેમ્પમાં પૂરી પાડવામાં આવી રહી છે.
આ સમર યોગ કેમ્પ તા. ૧૯/૦૫/૨૦૨૫ સોમવારના રોજ યોગ કેમ્પના બે વિધાર્થીઓના જન્મ દિવસ પર અતિથિ વિશેષ હિન્દુ નવનિર્માણ સેનાના ટંકારા તાલુકાના પ્રમુખ યોગીરાજસિંહ જાડેજા અને સાહિત્ય પ્રેમી પાર્થભાઈ પંડ્યાએ યજ્ઞમાં યજમાન બન્યા હતા. અને આહુતિ અર્પણ કરી હતી. આ તકે ઉપસ્થિત મહેમાનગણ, વાલીગણ, સાધક, ટ્રેનર, કોચ દ્વારા બાળકોને આશીર્વાદ આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. બાળકોમાં આપણી વૈદિક સંસ્કૃતિના સંસ્કાર બને એ હેતુથી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. કેક કાપવાના સ્થાને યોગિક રીતે જન્મ દિનની ઉજવણી કરવામાં આવી તેમજ સમર યોગ કેમ્પનું સંચાલન યોગ કોચ કંચનબેન સારેસા, ડિમ્પલબેન સારેસા અને સહયોગ સંચાલન યોગટ્રેનર મીરાબેન હિંશુ દ્વારા કરવામાં આવી રહ્યું છે. બાળકો તથા વાલીઓનો ખૂબ સારો પ્રતિભાવ આ સમય યોગ કેમ્પ દ્વારા મળી રહ્યો છે જે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની નોંધનીય સફળતા છે.