Friday, June 6, 2025
HomeGujaratમોરબીના તળાવીયા શનાળા નજીક ખેતરમાં અજાણ્યા યુવાનનો મૃતદેહે મળતા ચકચાર: ઓળખ માટે...

મોરબીના તળાવીયા શનાળા નજીક ખેતરમાં અજાણ્યા યુવાનનો મૃતદેહે મળતા ચકચાર: ઓળખ માટે પોલીસે અપીલ કરી

મોરબી તાલુકાના તળાવીયા-શનાળા માર્ગે આવેલ ખેતરમાં એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો છે. આશરે ૨૫ થી ૩૦ વર્ષના આ યુવાનની લાશ હોવાની ઓળખ મળી છે. હાલ મૃતદેહ મોરબી સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. તાલુકા પોલીસ દ્વારા મૃતકની ઓળખ માટે જાહેર અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

તારીખ ૩૦ મે ૨૦૨૫, મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામથી વાકળા ગામ તરફ જતા માર્ગે આવેલા કેશવજી ચીખલીયાના ખેતરમાં એક અજાણ્યા યુવાનના મૃતદેહ મળી આવતા સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ હતી. મોરબી તાલુકા પોલીસને મળેલી જાણકારી પ્રમાણે, ખેતરના માલિક કેશવજીભાઈ જુઠાભાઈ ચીખલીયાના ખેતરમાં એક અજાણ્યો પુરુષ મૃત હાલતમાં મળ્યો હતો. મૃતક પુરુષની ઉંમર આશરે ૨૫ થી ૩૦ વર્ષ વચ્ચે હોય તેમજ મૃતકના જમણા હાથ પર અંગ્રેજીમાં “D S” ત્રોફાવેલું ટેટૂ છે, જેના ઉપર આડી લીટી પણ ટેટૂ કરેલું છે. મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. ત્યારે મૃતક અજાણ્યા પુરુષની ઓળખ કે વાલી વારસ હોય તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ૦૨૮૨૨ ૨૪૨૫૯૨ નંબર પર તાત્કાલિક સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!