છોટાકાશી હળવદમાં મહાકાળી આશ્રમ ચરાડવાના પૂ. દયાનંદગીરીજી બાપુના સ્મરણાર્થે બ્રહ્મ ચોર્યાશીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે બ્રહ્મ ચોર્યાશીની સાથે ભુપેન્દ્રભાઈ જાની અને વિપુલભાઈ દવેએ હળવદની તમામ ગૌશાળા પાંજરાપોળમાં ૧૫૦૦ ગૌમાતા અને અબોલજીવોને ૬૦૦૦ કિલો (છ ટન) તરબૂચનો પ્રસાદ અર્પણ કર્યો હતો. જે બ્રહ્મ ચોર્યાશીમાં સીતારામ ભજન મંડળ રાજકોટ દ્વારા પૂજ્ય સાધુ સંતોએ ભજન અને સંતવાણીની આરાધના વડે અને શરણેશ્વર વૈદિક પાઠશાળા ઋષિ કુમારો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચારનું સમૂહ પઠન કરાયું હતું.
છોટાકાશી હળવદ મધ્યે આવેલ શ્રી ગાયત્રી માતાજી મંદિર બ્રાહ્મણની ભોજનશાળા ખાતે ભુપેન્દ્રભાઈ જાની અને વિપુલભાઈ દવેના પરિવાર દ્વારા મહાકાળી આશ્રમ ચરાડવાના પૂજ્ય મહંત શ્રી દયાનંદગિરિજી બાપુના સ્મરણાર્થે બ્રહ્મ ચોર્યાશીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બ્રહ્મ ચોર્યાશીમાં હળવદમાં રહેતા બ્રાહ્મણ, સાધુ, સોમપુરા સમાજના ૧૮૦૦ ઉપરાંત જ્ઞાતિજનોએ હર હર મહાદેવના નાદ સાથે સમૂહ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
જે બ્રહ્મ ચોર્યાશીમાં સીતારામ ભજન મંડળ રાજકોટના પૂજ્ય સાધુ સંતોએ ભજન અને સંતવાણીની આરાધના થકી અને શરણેશ્વર વૈદિક પાઠશાળાના ઋષિ કુમારો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચારના સમૂહ પઠન દ્વારા વાતાવરણને ભક્તિમય અને આધ્યાત્મિક બનાવ્યું હતું. બાપુના સ્મરણાર્થે આ કાળઝાળ ગરમીમાં હળવદની ગૌશાળા અને પાંજરાપોળમાં આશ્રય લઈ રહેલ આશરે ૧૫૦૦ ગૌમાતા અને અબોલ જીવોને ૬૦૦૦ કિલો (છ ટન) તરબૂચનો પ્રસાદ પીરસવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, મહાકાળી આશ્રમના જીવદયા અને પર્યાવરણ પ્રેમી આયુર્વેદાચાર્ય શાસ્ત્ર સિધ્ધ પૂજ્ય શ્રી દયાનંદગિરિજી મહારાજ ૧૩૪ વર્ષની વયે બ્રહ્મલીન થતાં હળવદ પંથક માટે ક્યારેક ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. ત્યારે તેમના સેવકો દ્વારા આ ભગીરથ સેવાકીય અને ધાર્મિક કાર્ય થકી પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી.