વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા પ્રવીણભાઇ દેવજીભાઇ મેસરીયા ઉવ.૪૫ ગત તા.૧૨/૦૬ ના રોજ પોતાના ઘરે હતા ત્યારે સીડી ઉપરથી અકસ્માતે નીચે પટકાતા તેઓને માથામાં અને શરીરે ગંભીર મૂંઢ ઇજાઓ પહોંચી હતી, જેથી તુરંત પ્રવિણભાઈને સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગઈકાલે ૧૩/૦૬ના રોજ ચાલુ સારવાર દરમિયાન પ્રવિનભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે