શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબીના સભાસદોની તા. ૧૮/૦૫/૨૦૨૫ ના રોજ સામાન્ય સભા યોજવામાં આવી હતી. જેમાં સર્વાનુમતે ૨૪ ટ્રસ્ટીઓની વરણી કરવામાં આવી છે. જે ટ્રસ્ટીઓની આજરોજ મિટિંગ મળતાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી તેમજ વિવિધ સમિતિઓના ટ્રસ્ટીઓની નિમણુક કરવામાં આવી હતી.
શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબીના સભાસદોની તા. ૧૮/૦૫/૨૦૨૫ ના રોજ સામાન્ય સભા યોજવામાં આવી હતી. જેમાં સર્વાનુમતે ૨૪ ટ્રસ્ટીઓની વરણી કરવામાં આવી છે. જે નિમાયેલ ટ્રસ્ટીઓની આજરોજ તા: ૧૪/૦૬/૨૦૨૫ આ રોજ મીટીગ યોજવામાં આવી હતી. તેમા પ્રમુખ તરીકે બેચરલાલ કાનજીભાઈ હોથી, ઉપપ્રમુખ તરીકે ત્રંબડભાઈ એસ. ફેફર, ગોપાલભાઈ એમ. ઝાલરીયા, કિશોરભાઈ એમ. પટેલ તથા ભાણજીભાઈ બી. અગોલા અને મંત્રી તરીક મગનલાલ પી. જેઠલોજીની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉમા સંસ્કાર ધામ, પાટીદાર કરીઅર એકેડેમી, ઉમા મેડિકલ તેમજ ઉમા વિદ્યાર્થી ભવન -અમદાવાદ ની સમિતિની રચના કરવામાં આવી હતી. જેના ચેરમેન તરીકે એ.કે પટેલની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્થાનીક શિક્ષણ સમિતિ, છાત્રાલય સમિતિ, બાંધકામ સમિતિ, આંતરિક ઓડીટ સમિતિની રચની કરવામાં આવી છે.i જેમા જે તે સમિતિના ટ્રસ્ટીઓની આગામી ત્રણ વર્ષ માટે વરણી કરવામાં આવી છે.