Tuesday, June 17, 2025
HomeGujaratમોરબીના જોધપર નદી ગામે શ્વાને ચાર વર્ષની બાળકી પર હુમલો કર્યો:બાળકીને ગંભીર...

મોરબીના જોધપર નદી ગામે શ્વાને ચાર વર્ષની બાળકી પર હુમલો કર્યો:બાળકીને ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાઈ

રખડતા બાખડતા ઢોર બાદ હવે શ્વાનનો ખૌફ:લોકોએ ઘર બહાર નીકળવું કે ન નિકળવું?:તંત્રને સવાલ

- Advertisement -
- Advertisement -

મોરબીના જોધપર નદી ગામે શ્વાનનો આતંક સામે આવ્યો છે. ચાર વર્ષની રોશની નામની બાળકી પર શ્વાન તૂટી પડ્યું હતું.જેને કારણે બાળકીને માથામાં અને આંખમાં ગંભીર ઈજા થવા પામી હતી.જે બાળકોને પ્રથમ મોરબી સરકારી અને ત્યાર બાદ રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવી છે.

મોરબી પંથકમાં ફરી એક વખત રખડતાં શ્વાનનો આતંક સામે આવ્યો છે. મોરબીમાં શ્વાનએ બાળકી પર હુમલો કર્યો છે. જોધપર નદી ગામે બાળકી પર શ્વાન તૂટી પડ્યું હતું. શેરીમાં રમતી ચાર વર્ષીય બાળકી પર શ્વાન તૂટી પડતા માથામાં અને આંખના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી.જે બાળકીને પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાઈ હતી જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.બાળકીના માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી છે.

અત્યાર સુધી રખડતા ઢોર રોડ રસ્તે યુદ્ધ કરાતા હતા જેને કારણે અનેક વાહનચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે ત્યારે હાઈ દિવસે ને દિવસે શ્વાનો નો આતંક વધતો જાય છે તો હવે તંત્ર સંવેદનશીલતા દાખવે તો લોકો ડર્યા વગર ઘર બહાર નીકળી શકે આ શ્વાનો ને કારણે હવે તો બાળકોને પણ રમવા માટે ઘર બહાર જવા દેવામાં વાલીઓ ડર અનુભવી રહ્યા છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!