Wednesday, June 18, 2025
HomeGujaratમોરબી શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા ૧૧ પોથી ભાગવત સપ્તાહ યોજાશે

મોરબી શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા ૧૧ પોથી ભાગવત સપ્તાહ યોજાશે

શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા જલારામ ધામ મોરબી ખાતે એ.સી. (A.C.) હોલમાં સર્વ પિતૃ મોક્ષાર્થે ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ અનેરૂ આયોજન કરવામાં આવ્યું છે. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીજી (ગુરૂજી-ભાવેશ્વરી માતાજી રામધન આશ્રમ મોરબી) ના વ્યાસાસને ૧૧ પોથી ભાગવત્ સપ્તાહ યોજવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા જલારામધામ મોરબી ખાતે એ.સી. હોલમાં આગામી તા.૧૪-૯-૨૦૨૫ ભાદરવા વદ આઠમ થી ૨૦-૯-૨૦૨૫ ભાદરવા વદ ચૌદસ દરમિયાન સર્વ પિતૃ મોક્ષાર્થે ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ્ જ્ઞાનયજ્ઞનું અનેરૂ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યાસાસને શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર રતનેશ્વરીદેવીજી (ગુરુ ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ, મોરબી) બિરાજમાન થશે. શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં ૧ મુખ્ય પોથી યજમાન તેમજ ૧૦ અન્ય યજમાન સહીત કુલ ૧૧ પોથી યજમાન પરિવાર જોડાશે. શ્રીમદ્ ભાગવત સપ્તાહ્ દરમિયાન વિવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવશે. તે ઉપરાંત દરરોજ બપોરે ફરાળ પ્રસાદ અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. ત્યારે વહેલા તે પહેલાના ધોરણે માત્ર ૧૧ પોથી જ નોંધવાની હોય પોથી નોંધાવવા માટે ભાવનાબેન અનિલભાઈ સોમૈયા મો.૮૫૧૧૦૬૦૦૬૬ નો સંપર્ક કરવા જણાવ્યું છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!