મોરબીની ખારી ત્રાજપર પ્રાથમિક શાળા માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આજે તારીખ 27 જૂન ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મોરબી ITI ના આચાર્ય જયેશભાઈ હળવદિયા crc .co. રમેશ ભાઈ હુંબલ , SMC અધ્યક્ષ કુંવરીયા ચંદુ ભાઈ ,ત્રાજપર ગ્રામ પંચાયત ના પૂર્વ સરપંચ અશોકભાઈ વરાણીયા તથા આરોગ્ય વિભાગના ડોકટર ,આંગણવાડી કાર્યકર તથા બહોળી સંખ્યા માં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.આંગણવાડી ના 21 બાલવાટિકા ના 33 અને ધોરણ 1 ના 52 વિધાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો.પ્રવેશ પાત્ર તમામ બાળકો ને સ્કૂલ બેગ સહિત ની શૈક્ષિણક કીટ ની ભેટ ત્રાજપર ના પૂર્વ સરપંચ વરાણીયા અશોક ભાઈ દ્વારા આપવામાં આવી.