Saturday, June 28, 2025
HomeGujaratમાળીયા મી.ના મોટા દહિસરા ગામે થયેલ હત્યામાં બનાવમાં ચારેય આરોપીઓને શંકાનો લાભ...

માળીયા મી.ના મોટા દહિસરા ગામે થયેલ હત્યામાં બનાવમાં ચારેય આરોપીઓને શંકાનો લાભ મળતા નિર્દોષ છૂટકારો

મોરબી જિલ્લાના મોટા દહીંસરા ગામે ખુનનો બનાવ બનવા પામ્યો હતો.જેમાં ચાર આરોપીઓ સામે ગુન્હો નોંધાયો હતો.જે કેસમાં આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ નામદાર ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

આ બનાવની ફરિયાદ માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી જેની વિગત મુજબ ફરીયાદીના ઘરમાંથી શેરીમાં પાણી નીકળતુ હતું.જે બાબતે મનદુખ રાખી આ કામના આરોપીઓ સુરેશભાઈ, અરૂણભાઇ, અશોકભાઈ અને વિજયભાઈએ લોખંડ ના પાઇપ અને લાકડાના ધોકા વડે માર મારતા ફરિયાદીના પિતા ફરિયાદીના પતિને બચાવવા જતાં લાગી જતા મોત નિપજ્યું હતું. જે ગુન્હો માળીયા(મીં) પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયો હતો. જેમાં આરોપીઓની ધરપકડ કરી હતી. જે કેસ મોરબીના બીજા એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં શરૂ થયેલો હતો. જેમાં આરોપી સુરેશભાઈ અવચરભાઈ ઈન્દરીયા, અશોકભાઈ અવચરભાઈ ઈન્દરીયા, અરૂણભાઈ અવચરભાઈ ઈન્દરીયા અને અશોકભાઈ અવચરભાઈ ઈન્દરીયા વતી મોરબી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા રોકાયા હતા. જે ફરીયાદી તેમજ અન્ય સાહેદો, પંચો, ડોકટર, તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવી હતી. જે તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી કે ફરીયાદ પક્ષે ફરીયાદથી વિરુધ્ધનો અને વીપરીત હકીકત જણાવી છે અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવ્યા છે.મરણજનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપ્યું નથી. તેમજ ફરીયાદ પક્ષે બનાવ નિઃશંક પણે સાબીત કરવામાં નિષ્ફળ ગયા છે. આરોપીઓ વિરૂધ્ધ પુરાવાઓ પુરવાર કરવામાં પણ નિષ્ફળ ગયા છે. તેથી બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયાની તમામ દલીલો ને ધ્યાને લઈ નામદાર કોર્ટે આરોપીઓને શંકાનો લાભ આપી નીર્દોષ ઠેરવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!