Thursday, November 20, 2025
HomeGujaratમોરબીમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા માર્ગ સલામતી અંગે જાગૃતિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

મોરબીમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા માર્ગ સલામતી અંગે જાગૃતિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

વાંકાનેરના વઘાસીયા ટોલ પ્લાઝા ખાતે આયોજિત કાર્યક્રમમાં વઘાસીયા, ઢુવા અને જાંબુડીયા ગામની સરકારી શાળાની ૧૯ વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરાઈ.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં ગત ૧૮ નવેમ્બરના રોજ એન.એચ.એ.આઈ. દ્વારા વઘાસિયા ટોલ પ્લાઝા ખાતે સીએસઆર પહેલ હેઠળ શૈક્ષણિક રીતે પ્રગતિશીલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા સાથે માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત વઘાસિયા, ઢુવા અને જાંબુડિયા ગામની સરકારી શાળાની વિદ્યાર્થીનીઓને કુલ ૧૯ સાયકલ વિતરણ કરવામાં આવી હતી અને શાળા બાળકોને માર્ગ સલામતી તથા સુરક્ષિત મુસાફરી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પ્રોજેક્ટ ડાયરેક્ટર અજયકુમાર સ્વામી, વાંકાનેર નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી રોહિત પ્રજાપતિ સહિતના અધિકારીઓ અને બાળકો હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!