મોરબીના લખધીરપુર રોડ સ્થિત કોમ્પ્લેક્ષની અગાસી પરથી નીચે પટકાતા ૪૨ વર્ષીય આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
મોરબીના લખધીરપુર રોડ પર આવેલ પરિશ્રમ કોમ્પ્લેક્ષ ખાતે ગઈકાલ તા. ૦૪/૦૩/૨૦૨૬ના રોજ રાજેશભાઈ મુન્નાલાલ સવિતા ઉવ.૪૨ રહે. લખધીરપુર રોડ પરિશ્રમ કોમ્પ્લેક્ષ મોરબી વાળા કોઈ કારણસર કોમ્પ્લેક્ષની અગાસી પરથી નીચે પટકાયા હતા. ઈજાગ્રસ્ત હાલતમાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ મામલે પોલીસને જાણ કરતા, બી ડિવિઝન પોલીસે અ. મોતની નોંધ કરી વધુ ટોઅસની તજવીજ શરૂ કરી છે.









