Thursday, March 5, 2026
HomeGujaratવાંકાનેરના સિંધાવદર નજીક વોકળામાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળતા ચકચાર

વાંકાનેરના સિંધાવદર નજીક વોકળામાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળતા ચકચાર

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિંધાવદર ગામ નજીક પાણીના વોકળામાં આશરે ૩૦ થી ૩૫ વર્ષના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હાલ પોલીસે આ મામલે અ.મોતની નોંધ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામથી આગળ ઓઇલ પાઇપલાઇન ઓફિસ પાસેથી કોઝવે તરફ જતા રસ્તે અંદાજે ૫૦ મીટર આગળ રોડની સાઇડમાં આવેલ પાણીના વોકળામાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગે સિંધાવદર લીંબાપરા વિસ્તારમાં રહેતા જયેશભાઈ પરષોતમભાઈ દંતેસરીયાએ ગત તા ૦૩/૦૩ ના રોજ પોલીસને જાણ કરી હતી. મૃતદેહ આશરે ૩૦ થી ૩૫ વર્ષના પુરુષનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ જારી મૃતકની ઓળખ મેળવવા આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!