મોરબી-૨: ઉમા ટાઉનશીપ વિસ્તારમાં રહેતા ૮૫ વર્ષીય વૃદ્ધનું પોતાના ઘરે અગમ્ય કારણોસર મોત થયું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા અ.મોત નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનસીપમાં રહેતા રામજીભાઈ જાદવજીભાઈ ઉઘરેજા ઉવ.૮૫નું ગઈકાલ તા.૧૩ માર્ચના રોજ પોતાના ઘરે અગમ્ય કારણોસર મોત થયું હતું. બાદમાં પરિવારજનો દ્વારા તેમને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારે મૃત્યુના બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અ.મોત દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.









