ગાયત્રીનગર તાલુકા શાળા ખાતે સરકારી કામો અને પ્રશ્નોનો સ્થળ પર થશે નિકાલ
ગુજરાત સરકારના પારદર્શી વહીવટ અને વ્યક્તિલક્ષી રજૂઆતોના ઝડપી નિકાલના અભિગમને વેગ આપવા માટે ટંકારા નગરપાલિકા દ્વારા આવતી કાલે ‘સેવા સેતુ’ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દ્વારા નાગરિકોની વિવિધ કચેરીઓને લગતી રજૂઆતોનો એક જ સ્થળે નિકાલ કરવામાં આવશે કાર્યક્રમ ૨૦ માર્ચ, ૨૦૨૬, શુક્રવારે સવારે ૮:૦૦ થી સાંજના ૫:૦૦ કલાક સુધી ગાયત્રીનગર તાલુકા શાળા ટંકારા ખાતે રહશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય અધિકારી ગિરીશ સરૈયા અને વહીવટદાર પિ એન ગોર દ્વારા ટંકારાની વિવિધ સરકારી કચેરીઓને પૂર્વ તૈયારીઓ માટે જાણ કરી છે અને સ્થાનિક રહીશોને આ સેવાનો લાભ લેવા નગરપાલિકા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.









