વાંકાનેરના રાજાવડલા ગામે ૬૨ વર્ષીય વૃદ્ધ વાડીના કૂવામાં પડી જતા મોત નિપજ્યું છે. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ દ્વારા અ.મોતની નોંધ કરી છે.
વાંકાનેરમાં ભાટીયા સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ અંબારામભાઈ મઢવી ઉવ.૬૨ પોતાની વાડી ખાતે ગયા હતા, જ્યાં તેઓ કોઈ કારણસર કૂવામાં પડી જતા તેમનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં તેમને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે વાંકાનેર સીટી પોલીસે અ.મોત રજીસ્ટર કતી આગળની તપાસ ચલાવી છે.









