વાંકાનેર નજીક વઘાસીયા ગામ પાસે આવેલી ફેક્ટરીની લેબર કોલોનીમાં ધાબા પરથી પડી ગયેલા યુવક શ્રમિકનું સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.
વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામ નજીક આવેલી દુરેજા સિરામિક ફેક્ટરીની લેબર કોલોનીમાં રહેતા સંદીપભાઈ ઉંમર વર્ષ અંદાજે ૨૨ વર્ષ, જેઓ ગત તા. ૨૩ માર્ચની રાત્રે ધાબા પરથી કોઈ કારણસર નીચે પટકાયો હતો. ત્યારે ઘટનામાં ગંભીર ઈજાગ્રસ્ત બનેલા શ્રમિકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં, સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અ.મોતની નોંધ કરી આગળની વધુ તપાસ ચલાવી છે.









