પ્રભુ શ્રીરામના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.
મોરબી: સનાતન હિન્દુ ધર્મના આરાધ્ય દેવ પ્રભુ શ્રીરામના જન્મોત્સવ (રામ નવમી) નિમિતે વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના શ્રી જલારામ સેવા મંડળ દ્વારા શહેરના જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત બપોરે ૧૧ઃ૩૦ કલાકે પ્રભુ શ્રીરામનું પૂજન, બપોરે ૧૨ કલાકે મહાઆરતી ત્યાર બાદ બપોરે ૧૨ઃ૩૦ કલાકે ફરાળ મહાપ્રસાદનું અનેરુ આયોજન કરવામાં આવેલ છે. તો શહેરની ધર્મપ્રેમી જનતાને પ્રભુ શ્રીરામના જન્મોત્સવના વધામણા કરવા, મહાઆરતીનો લાભ લેવા તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરવા પધારવા શ્રી જલારામ સેવા મંડળ-મોરબી દ્વારા ભાવભર્યુ નિમંત્રણ છે.









