Wednesday, May 13, 2026
HomeGujaratટંકારાના નેકનામ ગામે વીજશોક લાગતા પરપ્રાંતિય શ્રમિકનું મોત

ટંકારાના નેકનામ ગામે વીજશોક લાગતા પરપ્રાંતિય શ્રમિકનું મોત

ટંકારાના નેકનામ ગામ નજીક ઇલેક્ટ્રિક ટી.સી. પાસે વીજશોક લાગતા ઝારખંડના ૩૨ વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અ.મોતની નોંધ કરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ, ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમમાં આવેલી રેડેકો ફાઇબર પ્રા.લી. ખાતે રહેતા ગોવિંદભાઈ નરેશભાઈ માંજી ઉવ.૩૨ મૂળ રહે. દેવઘર ઝારખંડ વાળા ગત તા.૦૯/૦૫/૨૦૨૬ના રોજ વતનથી મજૂરી માટે મોરબી આવ્યા હતા. ત્યારે તા.૧૦/૦૫ ના રોજ નેકનામ ગામની દાનમોરા સીમમાં જીતુભાઈ ભોરણીયાની વાડી પાસે આવેલા ઇલેક્ટ્રિક ટી.સી. નીચે તેઓ વીજશોક લાગેલી હાલતમાં મૃત મળી આવ્યા હતા. બનાવ અંગે લોકેનભાઈ મંગનભાઈ માંજીએ પોલીસને જાણ કરતા ટંકારા પોલીસે સ્થળ ઉપર પહોંચી અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!