વાંકાનેર તાલુકાના મકતાનપર ગામની સીમમાં ખાણના રસ્તે પાણી ભરાયેલા ખાડામાં ૪૦ વર્ષીય મજૂરની લાશ મળી આવતાં પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
વાંકાનેર તાલુકાના મકતાનપર ગામની સીમમાં ખાણના રસ્તે પાણી ભરાયેલા ખાડામાં સુરેશકુમાર રાજારામ ગૌતમ ઉવ.૪૦ મૂળ ઉત્તર પ્રદેશના જોનપુર જીલ્લાના બાબપુર અને હાલ મકતાનપર ખાતે ગોવિંદભાઈ આહીરની ખાણમાં મજૂરી કરતા શ્રમિકની લાશ મળી આવી હતી. બનાવ અંગે જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી ઇન્ક્વેસ્ટ પંચનામા સહિતની કાર્યવાહી શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.






