મોરબીના લખધીરપુર રોડની કેનાલમાં ડૂબેલા વ્યક્તિની મોરબી ફાયર વિભાગ દ્વારા શોધખોળ દરમિયાન બનાવ સ્થળથી આશરે દસ કિલોમીટર દૂર મચ્છુ-૨ ડેમ નજીકથી આશરે ૩૩ કલાક બાદ મૃતદેહ મળી આવ્યો હતો.
મોરબીમાં ગત તા. ૦૫/૦૯ના રોજ સવારે ૯ વાગ્યે લખધીરપુર રોડની કેનાલમાં એક વ્યક્તિ ડૂબી ગયાની જાણ મોરબી ફાયર કંટ્રોલરૂમને કરવામાં આવી હતી. ફાયર ટીમ દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી, પરંતુ મૃતદેહ મળ્યો ન હતો. ત્યારબાદ બીજા દિવસે સાંજે ૬ વાગ્યે, આશરે ૩૩ કલાકની શોધખોળ બાદ બનાવ સ્થળથી આશરે દસ કિલોમીટર દૂર મચ્છુ-૨ ડેમ નજીક જોધપુર નદી પાસેથી તે વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.હાલ તાલુકા પોલીસ દ્વારા મરણ નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરાઈ છે.






