Tuesday, October 1, 2024
HomeGujaratમોરબીના રફાળેશ્વર ગામે ૪૯ વર્ષીય આધેડનું અચાનક છાતીમાં બળતરા અને દુખાવા બાદ...

મોરબીના રફાળેશ્વર ગામે ૪૯ વર્ષીય આધેડનું અચાનક છાતીમાં બળતરા અને દુખાવા બાદ મોત

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે ભરવાડવાસમાં રહેતા ખોડાભાઇ જગાભાઇ પાંચીયા ઉવ-૪૯ ગઈકાલ તા.૩૦/૦૯ના રોજ બપોરના તેમના ઘરે હોય ત્યારે અચાનક છાતીમાં બળતરા તથા દુખાવો ઉપડવાને લીધે આખા શરીરે પરસેવો વળી ગયો હોય જેથી પરિવારના સભ્યો દ્વારા ખોડાભાઈને સારવાર અર્થે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં હાજર ડોક્ટરે જોઈ તપાસી ખોડાભાઈને મરણ ગયાનું જાહેર કર્યું હતું. ત્યારે હાલ મોરબી તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી મૃતદેહને પીએમ સહિતની કામગીરી કરવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!