Saturday, April 20, 2024
HomeNewsMorbiમોરબીના શનાળા ગામ પાસે ગાય વચ્ચે આવતા બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું

મોરબીના શનાળા ગામ પાસે ગાય વચ્ચે આવતા બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું

મોરબી તાલુકાના શનાળા પાસે ગાય વચ્ચે આવતા બાઇકચાલક ફંગોળાયો હતો. આ અકસ્માતમાં બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

ગઈકાલે તા. 21ના રોજ મોરબી-રાજકોટ હાઇવે પર શનાળા પાસે જયદીપભાઇ જગદીશભાઇ ભોરણીયા (ઉ.વ.૨૩, રહે. છાત્રાલય રોડ, મારૂતિનંદન એપાર્ટમેન્ટ, સરદાર સોસાયટી, મોરબી) પસાર થઇ રહ્યો હતો. ત્યારે ગાય વચ્ચે આવી જતા તે બાઈક પરથી પડી ગયો હતો. આથી, તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!