Friday, March 29, 2024
HomeGujaratમોરબીના ઘૂંટુ ગામ પાસે સર્જાયેલા અકસ્માતનાં બનાવમાં ટ્રેકટર ચાલકની સામે ગુનો નોંધાયો

મોરબીના ઘૂંટુ ગામ પાસે સર્જાયેલા અકસ્માતનાં બનાવમાં ટ્રેકટર ચાલકની સામે ગુનો નોંધાયો

મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મનોજભાઇ કરશનભાઇ દંતાલીયાનો દીકરો જયકુમાર મનોજભાઈ દંતાલીયા (ઉ.વ.૧૯) તેના બે મિત્રો સાથે બાઈકમાં ઘુંટુ ગામ પાસે આવેલ રામકો વિલેજ નજીક ઈંટોના ભઠ્ઠા પાસેથી પસાર થતો હતો ત્યારે ટ્રેક્ટરચાલકે ત્રિપલ સવાર બાઈકને હડફેટે લઈ અકસ્માત સર્જયો હતો જેમાં ફરિયાદીના દીકરા જયકુમાર મનોજભાઈ દંતાલીયાને ગંભીર ઇજાઓ થવાથી તેનું મૃત્યુ થયું હતું. જ્યારે તેની સાથે રહેલ કિશન જયસુખભાઈ દેસાઈ (ઉ.વ.૨૦) અને પાર્થ હર્ષદભાઇ સંઘાણી (ઉ.વ.૨૨) રહે. બંને આંદરણા વાળા યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેને સારવારમાં ખસેડાયા હતા. હાલ મૃતક યુવાનનાં પિતા મનોજભાઇ કરશનભાઇ દંતાલીયાએ મોરબી તાલુકા પોલીસ મથકે ટ્રેક્ટર નં. જીજે-૩૬-એફ-૨૪૦૭ નાં ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદનાં આધારે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!